અમદાવાદ: ઘર, વાહન કે સોનાની ખરીદી કરવા માટે લોકો સારા મુહૂર્તની રાહ જોતા હોય છે અથવા તો સારો દિવસ આવે ત્યારે ખરીદી કરતા હોય છે. નવરાત્રીથી લઈ ભાઈબીજ સુધીમાં વાહનોની ખરીદીમાં પણ વધારો થયો છે. દિવસેને દિવસે વાહનોની સંખ્યા વધી રહી છે. અમદાવાદ આરટીઓમાં 40 લાખથી વધુ વાહનો રજિસ્ટર થયેલા છે. સારા મુહૂર્ત કે તહેવારોમાં વાહનોની લોકો ખરીદી કરતા હોય છે. મોંઘીદાટ કારથી લઈ ટુ વ્હીલર તેમજ હવે ઇલેક્ટ્રિક વાહનની ખરીદી કરતા હોય છે. ખાસ કરીને લોકો દશેરા, પુષ્યનક્ષત્ર, તેમજ ધનતેરસના દિવસે વાહન લે છે. ત્યારે અમદાવાદ આરટીઓમાં નવરાત્રીથી લઈ ભાઈબીજ સુધીમાં 24,856 વાહનનું રજીસ્ટ્રેશન થયું છે.
જોકે ગત વર્ષે નવરાત્રીથી ભાઈબીજ સુધીમાં 22,474 વાહનોનું રજીસ્ટ્રેશન થયું હતું. જેમાં ઇલેક્ટ્રિક 1,299 વાહનો હતા. જે ચાલુ વર્ષે નવરાત્રી ભાઈબીજની વચ્ચે વાહનો રજીસ્ટેશન થયા છે. તેમાં ગત વર્ષની સરખામણીએ ઇલેક્ટ્રિક વાહનો સંખ્યામાં ઘટાડો થયો છે. પ્રદૂષણનું પ્રમાણ ઘટે તે માટે ઇલેક્ટ્રિક વાહનનો વેગ આપવામાં આવ્યો હતો. પરંતુ તહેવારોમાં વાહનોની ખરીદી થઈ તેમાં જોવા મળી રહ્યું છે કે ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી ઘટી છે.