સૈજપુરબોઘામાં રોડ બનાવવા જતા પાણીનો વાલ્વ તૂટયો, હજારો લિટર પાણીનો વેડફાટ

એક તરફ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વિવિધ વિકાસના કામ કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ દરમિયાન AMC દ્વારા આપવામાં આવેલા કોન્ટ્રાક્ટમાં યોગ્ય કાળજી ન રાખવામાં આવતાં કોઈને કોઈ પ્રકારની નવી સમસ્યાઓ ઉભી કરવામાં આવી રહી છે.

હાલમાં સૈજપુરબોઘા ગામમાં ઉંડીફળીથી ચૌરા સુધીનો RCC રોડ બનાવવા માટે તંત્રએ મંજૂરી આપી અને તેના માટેની કામગીરી શરૂ પણ થઈ ગઈ છે. આ દરમિયાન એક સાંધે ત્યાં તેર તૂટે તેમ રસ્તાનું ખોદકામ કરતાં પાણીનો વાલ્વ તૂટી ગયો છે અને પાણી વેડફાય રહ્યું છે. આ તરફ પાણી ગટરની લાઈન સાથે મિક્સ પણ થવા લાગ્યું છે જેના કારણે માંદગીનો પણ સ્થાનિકોમાં ભય રહ્યો છે. જ્યારે કોર્પોરેશનના પાણી, રોડ-રસ્તા અને ગટર વિભાગની અંદર કોર્ડિનેશનના અભાવના કારણે સ્થાનિકોની હાડમારી વધી રહ્યાનો કિસ્સો સામે આવ્યો છે.

રોડ-રસ્તા, પાણી અને ગટર વિભાગના અધિકારીઓના સંકલનના અભાવના કારણે કોઈ પણ કામગીરી આગળ ન ચાલી રહી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જેમાં રોડ બનાવવાના કોન્ટ્રાક્ટર દ્વારા એવું કહેવામાં આવે છે કે, પાણીની લાઈનનું કામ બંધ થશે ત્યાર બાદ રોડનું કામ શરૂ કરાશે અને પાણીની લાઈન ત્યારે જ રિપેર થશે જ્યારે ગટરની કામગીરી રિપેર થશે. આ કારણે ગંદા અને ચોખ્ખા પાણીનું મિશ્રાણ થતાં લોકોને માંદગીનો ભોગ બની શકે છે. આ અંગે સ્થાનિકોની એટલી જ માંગણી છે કે, અધિકારીઓના સંકલનના અભાવે સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે તેમ ન થવું જોઇએ.

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು