મજબૂર સ્થિતિએ પોતાની લાગણીઓ પર કાબૂ મેળવતા શીખવ્યુંઃ તમન્ના

તમન્ના ભાટીયાએ તાજેતરમાં સેટ પરના પડકારોએ તેનામાં કેવું પરિવર્તન કર્યું એ અંગે ખુલીને વાત કરી હતી. એક પોડકાસ્ટમાં તમન્નાએ કહ્યું કે તે એક કેરેવાનમાં હતી, બહુ જ ભાવુક થઈ ગઈ હતી અને તેની આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં. તેના આખા ચહેરા પર મેક અપ લગાવેલો હતો અને તેને એક પાત્ર ભજવવાનું હતું તેથી તે રડી શકે તેમ પણ નહોતી. આ મજબૂરીની સ્થિતિએ તેને પોતાની લાગણીઓ પર કાબૂ મેળવતા શીખવ્યું.

તમન્નાએ આ પોડકાસ્ટમાં કહ્યું, “હું મારી કેરેવાનમાં હતી અને કશુંક બહુ જ ખરાબ થયું. હું બહુ જ દુઃખી હતી, મારી આંખો આંસુથી સુજી ગઈ હતી. પરંતુ મારી આંખો પર મસ્કરા લાગી હતી, ચહેરા પર મેક અપ લાગેલો હતો અને હું એક પાત્ર ભજવી રહી હતી. એ ક્ષણે હું રડી શકું તેમ નહોતી. તેથી મેં મારી જાતને કહ્યું, “આ માત્ર એક ભાવના છે, અને તેને હું ઇચ્છું તે રીતે બદલી શકું છું.” ત્યારથી જ મેં આ અતિ ગંભીર લાગણીઓને ખુશીમાં બદલતાં શીખ્યું.

મેં મારી જાતને અરીસામાં જોઈને આવું કર્યું અને એ કામ લાગ્યું.” તમન્નાના કામની વાત કરીએ તો તાજેતરમાં તે નેટફ્લિક્સ પર ‘સિકંદર કા મુકદ્દર’માં જોવા મળી હતી, જેમાં એક હિરાની લૂંટની વાત છે. તેમાં તેણે અવિનાશ તિવારી સાથે કામિની સિંઘનું પાત્ર ભજવ્યું છે. તે ‘સ્ત્રી 2’માં પણ એક આઇટમ સોંગ કેમિયોમાં જોવા મળી છે. હવે તે અશોક તેજાની ફિલ્મ ‘ઓડેલા 2’ કરી રહી છે. તેમાં તે એક શિવભક્તના રોલમાં જોવા મળશે. તાજેતરમાં તેણે પોતાના સોશિયલ મીડિયા પર તેનું પોસ્ટર પણ શેર કર્યું હતું.

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು