Maha Kumbh Fire: કુલ ૨૦ જેટલાં કોટેજ બળીને ખાખ થઈ ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ આગની જાણ થતાં જ ફાયરબ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
તાજેતરમાં જ કુંભ મેળામાં મૌની અમવસ્યાને દિવસે થયેલા નાસભાગની તારાજી આંખો સામેથી ગઈ નથી, ત્યાં ફરી એકવાર ત્યાંથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. પ્રયાગરાજનાં કુંભ મેળામાં આગ લાગી હોવાની (Maha Kumbh Fire) ઘટના છે. ત્યાંના સેક્ટર-૧૮ શંકરાચાર્ય માર્ગ પર ઈસ્કોનનું કિચન આવેલું હતું આ જ કિચનમાં આગ ફાટી નીકળી હતી.
અત્યારે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે આ ભીષણ આગમાં ઘણા બધા કોટેજ નષ્ટ થઈ ગયા છે. કુલ ૨૦ જેટલાં કોટેજ બળીને ખાખ થઈ ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ આગની જાણ થતાં જ ફાયરબ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. સદનસીબે આ ભયાવહ આગમાં કોઈ પણ જાનહાનિ થઈ ન હતી.