હાલ સમગ્ર દેશમાં ઔરંગઝેબને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન, મુઘલ બાદશાહની કબર અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. એક પ્રેસ કોન્ફરન્સમાં, અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકરને પૂછવામાં આવ્યું કે શું ઔરંગઝેબ આજે પણ પ્રાસંગિક છે ? તો આના પર તેમણે જવાબ આપ્યો હતો.
મહારાષ્ટ્રના નાગપુરમાં હાલમાં મુઘલ સમ્રાટ ઔરંગઝેબની કબરને લઈને ઉગ્ર વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની ત્રણ દિવસીય બેઠકને કારણે, અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે એક પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં સુનીલ આંબેકરને ઔરંગઝેબ વિશે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો. તેમને પૂછવામાં આવ્યું કે શું ઔરંગઝેબ હજુ પણ પ્રાસંગિક છે ?
જ્યાં હાલમાં ઔરંગઝેબની કબર હટાવવાને લઈને હોબાળો ચાલી રહ્યો છે. આ દરમિયાન, જ્યારે સુનીલ આંબેકરને નાગપુરમાં થયેલી હિંસા અને ઔરંગઝેબના મકબરા અંગે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, કોઈપણ પ્રકારની હિંસા સમાજ માટે સારી નથી. પોલીસે આ અંગે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. ઉપરાંત, મુઘલ સમ્રાટ અંગે, તેમણે કહ્યું કે, ઔરંગઝેબ વર્તમાનમાં પ્રાસંગિક નથી.
ત્રણ દિવસીય આરએસએસની મીટિંગ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની ત્રણ દિવસીય બેઠક, આગામી 21 થી 23 માર્ચ દરમિયાન કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં શરૂ થવા જઈ રહી છે. 19 માર્ચે, અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે આ બેઠક અંગે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન, પ્રચાર પ્રમુખે 3 દિવસની બેઠક વિશે માહિતી આપી. તેમણે કહ્યું કે દેશભરના પ્રતિનિધિઓ આ બેઠકમાં હાજરી આપશે. સંઘના પદાધિકારીઓ અને કાર્યકરો પણ ભાગ લેશે. તેમણે માહિતી આપી કે આ બેઠક 21 માર્ચે સવારે 9 વાગ્યે શરૂ થશે અને 23 તારીખની સાંજ સુધી ચાલુ રહેશે.
બેઠકમાં બે દરખાસ્તો મૂકવામાં આવશે
પ્રચાર પ્રમુખે જણાવ્યું હતું કે આ બેઠકમાં બે દરખાસ્તો મંજૂરી માટે મૂકવામાં આવશે. પહેલો પ્રસ્તાવ બાંગ્લાદેશની ભૂમિકા વિશે હશે અને બીજો પ્રસ્તાવ સંઘની 100 વર્ષની યાત્રા અને ભવિષ્યની યોજનાઓ વિશે હશે.
આ સંઘ 100 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે
સુનીલ આંબેકરે માહિતી આપી હતી કે આવનારી વિજયાદશમી સંઘના 100 વર્ષ પૂર્ણ કરશે. સંઘનું કાર્ય 1925માં નાગપુરમાં શરૂ થયું અને ત્યારબાદ તે સમગ્ર દેશમાં વિસ્તર્યું. આ બેઠકમાં, શાખાના વિસ્તરણ માટેની સમગ્ર યોજનાની સમીક્ષા કરવામાં આવશે અને લક્ષ્યની સમીક્ષા કરવામાં આવશે. ઉપરાંત, વિજયાદશમી 2025 થી 2026 સુધીના વર્ષને શતાબ્દી વર્ષ તરીકે ગણીને તેને ઉજવવામાં આવશે. આ સમયગાળા દરમિયાન જે પણ કાર્યક્રમો યોજાશે તેની પણ ચર્ચા આ બેઠકમાં કરવામાં આવશે અને નિર્ણયો લેવામાં આવશે. આ પછી તે નિર્ણયો પણ જાહેર કરવામાં આવશે.
પીએમ મોદી નાગપુરની લેશે મુલાકાત
જ્યારે સુનીલ આંબેકરને પૂછવામાં આવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુર આવી રહ્યા છે, ત્યારે તેમણે કહ્યું, સારું છે, એમનુ સ્વાગત છે. આ બેઠક અંગે તેમણે કહ્યું કે, સમાજના લોકોની ભાગીદારી કેવી રીતે વધારવી તે અંગે પણ ચર્ચા થશે. જોકે, 4 વર્ષ પછી, અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બેંગલુરુમાં મળી રહી છે. તેમણે એ પણ માહિતી આપી કે દત્તાત્રેય હોસાબલેજી આ બેઠક અંગે એક પ્રેસ કોન્ફરન્સ કરશે.